પાકિસ્તાન દ્નારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે.અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે પરંતુ લાખો રુપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહી કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.