પાટણ જિલ્લાનો વાઢીયાર પંથક ખારાપટ્ટ વિસ્તાર છે અને ત્યા પાણી પણ ખારુ જ આવે છે, પાણીની અછત વચ્ચે લોકો અહી ખારુ પાણી પીવા મજબૂર છે જો કે અહીંના સમી તાલુકાના ગોધણા નજીક મીઠા પાણીનું ઝરણું નીકળતા આજુબાજુના પંથકમાં ભારે આશ્ચર્ય સાથે શ્રદ્ધાનો વિષય ઉભો થવા પામ્યો છે.