સોલા સિવિલમાં ફ્યુમીગેશનની વરાળ પ્રસરવાનો મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્યુમીગેશનની વરાળ ICUમાં પ્રસરતા તાત્કાલિક વોર્ડ ખાલી કરાવાયા હતા. વરાળ પ્રસરવાની ઘટનાના 3 કલાક બાદ એક દર્દીનું મોત થયું હતું. દર્દીનું મોત બીમારીના કારણે થયા હોવાનું સિવિલના સુપ્રિન્ટેડન્ટ ડો.આર.એમ.જીટિયાએ જણાવ્યું હતું. જલદ પ્રવાહીની વરાળથી આંખોમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની ફરિયાદ થઈ હતી.