પંચમહાલના કાલોલના એરાલમાં સરકારી બસ પર હુમલો થયો હતો. વરઘોડાના ટોળાએ હુમલો કર્યો હતો, જેમાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ડીજેની સામે બસ આવી જતાં બબાલ થઈ હતી. જેથી ટોળાએ બસના કાચ તોડ્યા હતા. હાલમાં સમગ્ર મામલો શાંત પડ્યો છે.