સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના ઓનલાઈન સોફટવેરમાં ટેકનીકલ ખામી સર્જાઈ છે જેના કારણે ગ્રાહકો અનાજથી વંચિત છે. છેલ્લા ચાર દિવસથી સર્જાયેલ ટેક્નિકલ ખામી અંગે સસ્તા અનાજ દુકાનનાના સંચાલકોએ પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે. આમ, સસ્તા અનાજની દુકાનમાં ટેક્નિકલ ખામીને લઇ ગ્રાહકોની ભીડ જામી છે.