પાવાગઢ મંદીરના સેક્રેટરી અને ટ્રસ્ટી સામે ચાંદી ગાયબ કરવાનો આરોપ. 579 કીલો ચાંદી ઓગાળવામાં 70 ટકા ઘટનો આક્ષેપ કરી સીઆઈડી ક્રાઈમને તપાસ કરવાની માગ. અરજદારે દાખલ કરી પિટિશન. ગાંધીનગરના કલોલના અરજદાર વિરલ ગિરી ગોસ્વામીએ સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન પિટિશયન દાખલ કરી. કથિત ચાંદી પ્રકરણ મામલે હાલોલ પોલીસે તપાસ કરી હતી, જેમા દાતા-ટ્રસ્ટીનું નિવેદન લેવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.