કચ્છના ભચાઉ ગાંધીધામ હાઇવે પાસે નંદગામ નજીક આવેલી ઓસવાલ કંપનીમાં મોડી રાતે 2 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. ત્યારે આગ પર કાબુ મેળવા માટે ઘટના સ્થળ પર 10થી વધુ ફાયર ફાઇટર પહોંચી ગઇ હતી. આ ભયંકર આગ કયા કારણોસર લાગી છે તેની હજી જાણ નથી થઇ. આ દુર્ઘટનામાં અંદર કોઇ ફસાયાનાં સમાચાર સામે આવ્યાં નથી.