હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે ડરનો માહોલ છે. દેશ-વિદેશમાં કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. આ જીવલેણ વાયરસને કારણે ભારતમાં બે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને રાષ્ટ્રીય આપદા જાહેર કરી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામારીનો સામનો કરવા માટે દેશ અને વૈશ્વિક સ્તર પર અભિયાન ચલાવી રહ્યાં છે. આ કડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સાર્ક દેશોના નેતાઓ સાથે ચર્ચા કરી છે.