વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના કન્યાકુમારી ખાતે પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતાં જવાનોને શત શત સલામ કરતાં કહ્યું કે, મુંબઇમાં થયેલા 26/11 હુમલા બાદ વાયુસેના સર્જિકલ સ્ટ્રાઇક કરવા ઇચ્છતી હતી પરંતુ તત્કાલિન યૂપીએ સરકારે એમને એમ કરવા દીધું ન હતું. અગાઉની સરકારો આતંકવાદ વિરૂધ્ધ કડક ન હોવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, હવે એવું નથી. અમારી સરકારે સેનાને આતંકીઓ સામે બદલો લેવા માટે છુટો દોર આપ્યો છે.