અમદાવાદના ખાનપુર ભાજપ કાર્યાલયનું ઐતિહાસિક મહત્વ છે.1984માં ખાનપુરમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય બન્યું.સંગઠન મહામંત્રી તરીકે નરેન્દ્ર મોદી ખાનપુર કાર્યાલયમાં જ રોકાતા હતા.ત્યારે શહેર મંત્રી તરીકે અમિત શાહે પણ આ કાર્યાલયથી જ રાજકીય જીવનની શરૂઆત કરી હતી.ગુજરાતને ભાજપનો ગઢ બનાવવાનો પાયો અહીંથી જ નાખવામાં આવ્યો.ખાનપુર ભાજપ કાર્યાલયથી અનેક સરકારો બની અને ચાલી પણ ખરી.આ કાર્યાલય સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના પણ ઈતિહાસ જોડાયેલા છે.લાલકૃષ્ણ અડવાણીની ઓફિસ પણ અહીં જ હતી.2014ની લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખસેડવામાં આવ્યું.