નવા મંત્રીમંડળ અંગે મોદી અને શાહ વચ્ચે મેરેથોન બેઠક થઈ.બેઠકમાં નવા કેબિનેટના ગઠન અંગે સંભવિત ચર્ચા થઈ.પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વચ્ચે સાડા ચાર કલાક બેઠક ચાલી.આજના દિવસમાં જ નવા મંત્રીઓને ટેલિફોનિક જાણકારી આપવામાં આવશે.ત્યારે આવતીકાલે મહાશપથ સમારોહ પૂર્વે ખાતા વાંચ્છુકોને આમંત્રણની રાહ જોઈ રહ્યાં છે.નવી કેબિનેટની રચના નિયત ધોરણે જ કરાશે ત્યારે 25 ટકા મહિલાઓ અને 40 ટકા નિષ્ણાતોનો કેબિનેટમાં સમાવેશ થઈ શકે છે.