સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીજી પર સંયુક્ત રાષ્ટ્ર ટપાલ ટિકિટ જાહેર કરી. આ ટપાલ ટિકિટ સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા નામના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી. આ પહેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગાંધી સોલાર પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું.