વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે. અહીં તેમને ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે. સાથે જ તેઓ અહીંથી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓ છૂટક દુકાનદાર પેન્શન યોજના, એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના અને પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પણ પ્રારંભ કર્યો.