વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતની પહેલી એન્જિન રહીત ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી, પુલવામા આતંકી હુમલા પર આ દરમિયાન બોલતા પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે અત્યારે દેશના લોકોનું લોહી ઉકળી રહ્યું છે. જવાનોની શહાદતનો બદલો લેવા માટે સુરક્ષા દળોને પૂરેપૂરી આઝાદી અપાઈ છે. અમને અમારા સૈનિકોના શૌર્ય પર પૂરેપૂરો ભરોસો છે. આતંકવાદ હવે વધુ સમય સુધી ચાલી શકશે નહીં.