સવારે સાડા આઠના સમયે નોકરી જવા નીકળેલા રામ પરિવારના બે સગા ભાઈઓને ખબર ન હતી કે, અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં મોત તેમની રાહ જોઈ રહી છે. બીઆરટીએસના સ્વરૂપમાં અમદાવાદના રસ્તાઓ પર ફરી રહેલા યમરાજાએ રામ પરિવારના કુળ દીપકોનો ભોગ લીધો હતો. બે સગાભાઈના મોત બાદ રામ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તેમની માતા તો વિશ્વાસ જ ન કરી શક્યા કે તેઓએ એકસાથે બંને દીકરાઓને ગુમાવ્યા છે. ઘરેથી ટિફીન લઈને નીકળેલા બંને દીકરાઓનો ચહેરો હવે પછી માતાપિતા ક્યારેય જોઈ નહિ શકે.