વડોદરાના આજવા ખાતે આતાપી ફન વલ્ડ ખાતે ગત મંગળવારે નડિયાદના 12 વર્ષના બાળકનું પાણીની ખુલ્લી ટાંકીમાં ડુબી જતા મોત થયું હતું. આતાપીના જનરલ મેનેજર સહિત 6ને CRPC 160 મુજબ પોલીસે સમન્સ પાઠવ્યું છે. વાઘોડિયા પોલીસ તપાસ કરી રહી છે. વડોદરા પાલિકાના અધિકારીઓ સુધી તપાસને લઇ પોલીસ પહોંચી શકે છે.