શામજી કૃષ્ણ વર્માની આજે જન્મ જયંતી છે. ત્યારે 163મી જન્મ જયંતી પ્રસંગે શામજી કૃષ્ણ વર્માના ચિત્ર અને પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભા સચિવાલય દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનાર શામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતી રાજકીય નેતાઓ ભૂલી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. એક પણ મંત્રી કે રાજકીય નેતાઓ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા.