રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાના નિવેદન બાદ કોંગ્રેસના ધારાસભ્યો તેનો જવાબ આપી રહ્યા છે. વિરજી ઠુંમરે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના એ ધારાસભ્યોના નામ જાહેરમાં કહે, જેણે ભાજપનો સંપર્ક કર્યો હોય. સાથે જ તેમણે કહ્યું કે ભાજપ પહેલા પોતાનું ઘર સંભાળે. તો કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રીના નિવેદન પર પલટવાર કર્યો છે. નૌશાદ સોલંકીએ કહ્યું કે દેશની સમસ્યાથી લોકોના ભ્રમિત કરવાનો પ્રયાસ ભાજપ કરી રહ્યું છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી પોતાની ચિંતા કરે, તેમણે કોંગ્રેસની સમીક્ષા કરવાની જરૂર છે.