જહાંગીરપુરા સ્થિત આશ્રમમાં સાધિકા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં નારાયણ સાંઇને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઇને આજે શુક્રવારે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટમાં જજમેન્ટ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી ન હતી અને આગામી 26મી એપ્રિલએ સંભવત ચુકાદો આવી શકશે. જેમાં 7થી 10 વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવી રહી છે.