અમદાવાદનાં હાટકેશ્વર વિસ્તારનાં ભાઈપુરાનાં પ્રખ્યાત તામિલ સંપ્રદાયના શીતળા માતા મંદિર પરિસરમાં ભુવો પડતાં મંદિરના પુજારી તેમાં ગરકાવ થયાં છે. મંદિર પરિસરમાં અચાનક 15 ફુટ જેટલો ભુવો પડતાં પુજારી તેમાં પડ્યાં હતાં, પુજારીને બહાર કાઢીને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે