કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. તેમા જણાવ્યું હતું કે, લોકશાહીમાં નહીં માનનારી ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા કોંગ્રેસના ધારાસભ્યોના નામ ઉછલવામાં આવે છે. ભાજપ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની વાત માધ્યમોમાં ચાલી રહી છે.