ગુજરાતમાં ખેડૂતોને અપાતા વિજ કનેક્શન મુદ્દે પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે, ગુજરાત સરકાર દ્વારા એવો દાવો કરવામા આવી રહ્યો છે કે તે સર પ્લસ રાજ્ય છે, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે ગુજરાતના ખેડૂતોને જે કનેક્શનો મળવા જોઈએ તે નથી મળતા.