વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને રામલીલા સમિતિ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. દ્વારકાની શ્રી રામલીલા સાસોયટી દ્વારા પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને મોટાભાગની રામલીલાના આયોજકો દ્વારા પુતળાઓમાં આતિશબાજીનો ઓછો પ્રયોગ કરવાનો નિર્ણય લેવાયો છે.