દેશના ઉપરી સદન રાજ્યસભાનું 250મું સત્ર આજથી શરૂ થઇ ગયું છે, આ અવસર પર વડાપ્રધાન નરેંદ્ર મોદી સંસદના ઉપરી સદન રાજ્યસભાને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યસભાના 250મા સત્રના અવસર પર વિશેષ ચર્ચા થવા જઇ રહી છે અને આ ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદી પણ રાજ્યસભા સભ્યો પોતાની વાત રજૂ કરશે. વડાપ્રધાન નરેંદ્રનું ભાષણ શરૂ થઇ ગયું છે.