કોંગ્રેસ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકારણ ફરી એક વખત ગરમાયુ છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના બાગી સભ્ય અને કારોબારી સમિતિ ના ચેરમેન રેખાબેન પટોડીયા સામે કોંગ્રેસના જ અન્ય 6 બાગી સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.. કારોબારી સમિતીના 9 સભ્યો પૈકી 6 સભ્યોની સહી કરાવીને કિશારભાઇ પાદરીયાએ અશ્વીસવાસની દરખાસ્ત મુકી છે. ચેરમેન દ્વારા સંકલન નો અભાવ હોવાનો આક્ષેપ કરી અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે.