નસવાડી તાલુકાની પાયાકોઈ ગ્રામ પંચાયત કચેરીની ગ્રામજનોએ તાળાબંધી કરી છે. અહીં તલાટી ખોવાયાના પોસ્ટર હાથમાં લઈ ગ્રામજનોએ વિરોધ કર્યો છે. હકીકતમાં 1000થી વધુ વસ્તી ધરાવતા બે ગામના તલાટી છેલ્લા એક મહિનાથી ગેરહાજર છે અને ટીડીઓને લેખિતમાં જાણ કરવા છતાંય દરકાર ન લેવાતા આખરે તાળાબંધી કરાઈ છે.