રાજ્યની સિવિલ હોસ્પિટલમાં જે રીતે નવજાત બાળકોના મોત નિપજી રહ્યા છે તેને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ પાછલા એક વર્ષમાં 699 જેટલા બાળકોનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ પરિસ્થિતિનો વિરોધ કરવા માટે સુરત કોંગ્રેસ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં બે કલાક ધરણા પ્રદર્શન રાખવામાં આવ્યા હતા અને એમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા.