કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીને ગણત્રીનો સમય બાકી છે ત્યારે ગરીબી હટાવવા માટેની એક અનોખી સ્કીમની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશનાં 20 ટકા ગરીબોને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે સરકાર દર વર્ષે 72 હજાર રૂપિયાની તેમને મદદ કરશે.