દાહોદમાં મેઘરાજા મંડાતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાક.ને હાલ વરસાદની જરૂર હતી તેવા સમયે જ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ઉપરાંત નાગરિકોમાં પણ આનંદ અને રાહતની લાગણી જોવા મળી હતી.