રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જ પરિવર્તનના એંધાણા મળી રહ્યાં છે, ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડાને રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવવાની જવાબદારી સોંપવામાં આવ્યાની ચર્ચા થઈ રહી છે, આહીર અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અર્જુન ખાટરીયા સહિત છથી વધુ સભ્યોને ભાજપમાં લાવવાના મનામણાની જવાબદારી સોંપાયાની ચર્ચાએ જોર પકડ્યું છે