રાજકોટની લેક્સસ હોસ્પિટલમાં તબીબની બેદરકારીને કારણે દર્દીનું મોત થયા હોવાનાં આક્ષેપ સાથે પરીવારજનોએ હોબાળો મચાવ્યો હતો. લેક્સસ હોસ્પિટલમામં જયશ્રીબેન પરમાર નામનાં દર્દીને વાલની બિમારી હોવાને કારણે સારવાર માટે ડિસેમ્બર મહિનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે દવાનાં ઓવર ડોઝને કારણે દર્દીની બન્ને કિડની ફેઇલ થતા બ્રેઇન ડેડ થયા હોવાનો પરીવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો. પરિવારજનોનાં કહેવા મુજબ, દર્દીની હાલત ખરાબ થતા અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેનું સારવારમાં મોત થયું હતું.