લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કાંદીવલી પૂર્વની ઠાકુર વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું. વોટ આપ્યા બાદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ મતદાનની પ્રક્રિયાને કન્યાદાનની વિધિ સાથે સરખાવી. તેમણે કહ્યું કે કન્યાદાન પહેલાં માતાપિતા જે રીતે મૂરતિયો શોધવામાં તમામ વાતોનું ધ્યાન રાખે છે એ રીતે મતદાન આપતાં પહેલાં ઉમેદવારથી સારી રીતે વાકેફ થઈને જ મતદાન કરવું જોઈએ.