દેશભરમાં દુષ્કર્મની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે ત્યારે ભાવનગર જીલ્લામાં સગીરા સાથેના દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પાલીતાણા પંથકની એક સગીરા સાથે છેલ્લા 1 વર્ષમાં અનેક લોકો દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પિતાની ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડીકલ ચેકઅપ હાથ ધરી બનાવના પગલે ત્રણ આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.