કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ‘તાનાશાહી નહીં ચલેગી...’ના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ખેડૂતોને પાકવીમો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે પાક વીમા કંપનીને પ્રીમિયમ પેટે અધધ રકમ ચૂકવી હોવા છતાં વીમા કંપનીઓએ તેની અડધી રકમ પણ ખેડૂતોને ચૂકવી નથી.