અમદાવાદ નજીક આવેલા વડસર ગામે એક ખાનગી ફાર્મહાઉસના 70 ફૂટથી વધુ ઉંડાઇ ધરાવતા પાણી વગરના કુવામાં નીલ ગાયનું બચ્ચું ફસાયું હતું. આ અંગેની જાણ ફાર્મહાઉસના માલીકની મદદથી વનવિભાગને કરવામાં આવી છે. વનવિભાગને જાણ કર્યાના 3 કલાક બાદ રેસ્ક્યુ ટીમ સ્થળ ઉપર પહોંચી શકી નહોતી.