અનામત બિન અનામત વચ્ચેની મડાગાંઠનો ઉકેલ આવતીકાલે આવી જાય તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. કે કૈલાસનાથનને સોંપાયેલી જવાબદારી પૂર્ણ થઇ ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન કવાયત પૂર્ણ કરીને મુખ્યમંત્રી અને મંત્રી કક્ષાએ ફાઇલ રવાના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.