બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે.... ઠેર-ઠેર વિનાશ વેર્યો છે. ત્યારે જામકંડોરણાથી ગોંડલ તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે. જામકંડોરણાથી ગોંડલ તરફ જવાના રસ્તાના ડાઈવર્ઝન પર પાણી ફરી વળ્યાં છે. અહીં પુલનું કામ ચાલતું હોવાથી ડાઈવર્ઝન કાઢ્યું હતું પરંતુ ભારે વરસાદ અને વાવાઝોડાએ પાણી ફેરવ્યું હતું.