ભાવનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. કણબીવાડમાં દિલીપભાઈ વિરજીભાઈ પટેલની હત્યા કરી લૂંટ કરવામાં આવી છે. દિલીપભાઈના હાથ પગ બાંધી મોઢે ડૂચો મારવામાં આવ્યો હતો. ત્યારબાદમાં શખ્સોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની તપાસ શરૂ કરી છે.