અમદાવાદમાં ગુનાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં 3 કિલો સોનાની લૂંટની ચકચારી ઘટના બની છે. જ્વેલર્સને માલ સપ્લાય કરતા વેપારીને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના બની છે. ખોડીયાર મંદિર પાસે ચકચારી ઘટના બનતા લોકોમાં કુતુહલ વ્યાપ્યું છે.