વિશ્વ સહિત ભારતમાં કોરોના વાયરસનો કહેર જારી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી હતી. સીએમે કહ્યું કે, વિશ્વના 140થી વધુ દેશોમાં અતિ ઝડપે આ રોગનો વાયરસ ફેલાયો છે. ભારતમાં પણ કોરોના વાયરસ જોવા મળ્યો છે પણ ગુજરાતમાં આરોગ્ય વિભાગની સતર્કતા અને સરાહનીય પગલાંઓ અને જનતા જર્નાદનની જાગરુકતાથી ઝિરો પોઝિટિવ કેસ છે.