સમજૌતા એક્સપ્રેસ પાકિસ્તાનથી અટારી રેલવે સ્ટેશન ઉપર આવી ગઈ છે. પાકિસ્તાનના રેલવે ક્રૂ અને ગાર્ડે ભારત આવવાનો ઈનકાર કરતા સમજૌતા એક્સપ્રેસને પાકિસ્તાનમાં રોકી દેવામાં આવી હતી. બાદમાં ભારતે ટ્રેનના એન્જિન સાથે રેલવે ક્રૂ અને ગાર્ડ મોકલ્યા હતા. આ ટ્રેનમાં 110થી વધારે મુસાફરો હતા.