વીર સાવરકર પર કોંગ્રેસે અપમાનજનક ટિપ્પણી કરતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સેવાદળના સાહિત્યમાં નાથુરામ ગોડેસ અને સાવરકર વચ્ચે આપત્તિજનક સંબંધો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દેશભરમાં કોંગ્રેસ કાર્યકરોમાં આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી અને પણ વિવાદિત ટિપ્પણીઓ કરાઈ છે. આ પુસ્તરકનું વિતરણ કરીને કોંગ્રેસ યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યું હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે. સાથે જ સાવરકર પર આ પ્રકારની અપમાનજનક ટિપ્પણી બદલ કોંગ્રેસની માંફીની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રીયા આપી છે.