સાવરકુંડલાના ગોરડકા ગામે સ્થાનિકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી હતી. શાળાના આચાર્યની બદલી થતા પ્રાથમિક શાળાની ગ્રામજનોએ તાળાબંધી કરી હતી. અગાઉ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને આચાર્યની બદલી ન કરવા રજુઆત કરી હતી. આજે ગ્રામ્યજનો દ્રારા સ્કૂલને તાળાબંધી શિક્ષણતંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો.