આજે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો યાત્રાધામ અમરનાથ જવા રવાના થયો છે. પહેલા જથ્થામાં 92 ગાડીઓમાં 2 હજાર 189 યાત્રીઓ રવાના થયા.પહેલી જુલાઈથી અમરનાથના દર્શન થઈ શકશે.પુલવામા હુમલા પછી અમરનાથ યાત્રામાં સુરક્ષા માટે સેનાએ અત્યાર સુધીની સૌથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પહેલી જુલાઈથી સત્તાવાર રીતે યાત્રાનો પ્રારંભ થયા પછી 15મી ઓગષ્ટે પૂર્ણાહુતિ થશે.