સમગ્ર ભારતમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની હાલક દવારા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના બણગા ફૂંકાઈ રહ્યા છે. ત્યારે નર્મદા મુખ્ય મથક રાજપીપળામાં ગંદકી ખદબદી રહી છે જેનું કારણ એટલુંજ છે કે અહીં રાજપીપળા નગરપાલિકાના સ્વછતા સૈનિક ગણાતા સફાઈ કામદારો છેલ્લા એક અઠવાડિયાથી અચોક્કસ મુદતની હડતાલ પર છે. આ હડતાલી સફાઈ કામદારો રોજિંદા છે અને વર્ષોથી રોજિંદી કામગીરી કરવા ઉપરાંત તેમને કાયમી કરવામાં આવતા નથી. ઉપરાંત તેમનું વેતન પણ દર માસે નિયમિત ના મળતું હોવાના આક્ષેપ સાથે તેઓ એ સામુહિક હડતાલ નુશસ્ત્ર ઉગામ્યું છે જેને કારણે રાજપીપળા શહેર ગંદકીનો ઢેર બની ગયું છે.