ઝી 24 કલાક નો વિશેષ કાર્યક્રમ શેરી મહોલ્લાની ખબરમાં આજે આપણે વાત કરીશુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પ્રતાપનગર અને રાજપુર જુથ ગ્રામપંચાયતની અહી આદિવાસી વસ્તી વધુ હોય છે.તેમછતાં ગામમાંથી પસાર થતી નદી પર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. પરંતુ ચેકડેમના દરવાજા પણ જર્જરીત હાલતમાં તેમજ કોઝવે પણ બિસ્માર બની ગયો છે.તો સાથેજ મોટેભાગના લોકો ખેડુત હોય અને ખેતી પર પોતાનુ જીવન ગુજરતા હોય છે.