નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ થવાને કારણે નદી અને નાળા છલકાઈ જવા ઉપરાંત નર્મદા અને કરજણ બંધ પણ છલકાયા હતા જેની સીધી અસર રાજપીપલા માં આવેલી કરજણ નદીનાં કાઠાં વિસ્તારને થઈ હતી. આ વિસ્તાર ધોવાઈ ગયો હતો. જેમાં રાજપીપલાના હાર્દ સમાં અને રાજપીપલાના પ્રવેશ દ્વાર ગણાતા તલકેશવર મંદિરથી રાજપીપલામાં જતો રસ્તો ધોવાઈ ગયો હતો.