અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે.