ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સંજોગોમાં સમગ્ર ગુજરાતના ગરબા આયોજકો ચિંતામાં પડ્યા છે.