શહેરનાં જુહાપુરા વિસ્તારમાં વિશાલા સર્કલ નજીક AMCની પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બે મજુરો ખાડામાં પડી ગયા હતા. પાણીની લાઇનનું માપ લેતા સમયે પગ લપસી જવાનાં કારણે બંન્ને ચેમ્બરમાં પટકાયા હતા. જેના કારણે બંન્ને મજુરોનાં મોત નિપજ્યા છે. ફાયર બ્રિગેડનાં જવાનોએ આવીને બંન્ને મજુરોને બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા બંન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.